Image may contain: sky



અંશીકા  અને  વંશિકા એમ  તો  બન્ને  પિતરાઈ  બહેન  થાય  પણ  તેમના   વચ્ચે  લાગણી  સગ્ગી  બહેનો  કરતા  વધારે..!! નાનપણથી   જ  સાથે  ઉછરેલા; વંશિકા મામા -મામી  સાથે  જ  મોટી  પણ  થઈ  સાથે  જ  અભ્યાશ પૂર્ણ  કર્યો  અને  હવે  બન્ને  જોબ  કરે છે. વંશિકાના માતા-પિતા નું નાની ઉમરે અવસાન થયું હતું પણ  મામા -મામીએ  ક્યારેય એમની ખોટ લાગવા દીધી નહીં . અંશીકા કરતા વંશિકા  વધુ  હોશિયાર  અને કામગરી  પણ . વંશિકા એકદમ  ડાહી  અને  સમજુ  જયારે  અંશીકા  થોડી  નટખટ,    ઘરમાં  એ સૌથી નાની  એટ્લે  એની  બધી  ઝિદ  પણ  પુરી  કરાતી . હવે  આવ્યો  સમય  દીકરીને  પરણવાનો. ઈશ્વરની  કૃપાથી બંને  બહેનો  માટે સાથે  જ છોકરા જોવાનું  શરૂ  કર્યું  અને  જોગાનુજોગ  સાથે  જ  મેળ  પણ  પડી  ગયો.  એક  જ  ઘરમાં  કાકા –મોટાના દીકરાઓ  જોવા  આવવાના   હતા  અને  મિટિંગ  ફાઇનલ  થઈ.  છોકરાઓમાં એકનું  નામ  "વંશ" અને  બીજાનું  "અંશ "  બન્ને  સેટ  થયેલા  અને  સંસ્કારી. જયારે  લગ્નની  વાત  વાત  આવે  ત્યારે  વડીલોનો  જોવાનો  દ્રષ્ટિકોણ  થોડોક  બદલાય  જાય  છે. અંશની  મમ્મીને વંશિકા યોગ્ય  ન  લાગી . કારણ  કે  માં-બાપ  વગરની  દીકરી  ને !  મામા-મામી  સાથે  ઉછરેલી ..! કાકીની માન્યતા એવી કે દીકરીના  ઉછેરમાં  કઈ  કમી  રહી  ગઈ  હોઈ  !!  સમાજમાં  એક  એવું  માન્યતા  બેસી  ગઈ   છે  કે  માબાપ  વગરના  બાળક  એટલે  "બાપડા -બિચારામાં'  ગણાય . હવે  કરીએ  તો  કરીએ  શુ?? જયારે  આ  દરેક  વાતો  કાકીએ  કાકાને  કરી  ત્યારે  કાકાએ  વળતો  જવાબ  તો  ના  આપ્યો  પણ  તેમની  વાતો  સાથે  મંજુર  ના  થયા ..! હવે  કરે  તો  કરે  શુ? મને -કમને  સહકુટુંબ  છોકરી  જોવા  ગયા. ઘરના  દરેક  સદસ્યોને  વંશિકા પસઁદ  પડી;  વંશ  માટે  વંશિકા  અને  અંશ  માટે  અંશીકા . બધા  રાજી હતા પણ  નાના  કાકીનું  મન  થોડું  કચવાતું  હતું  કે  અંશ  માટે  અંશીકા  નહિ   ચાલે . છતાં  પણ  બધાની  હા  હોવાને  લીધે  ગોળ -ધાણા  વહેંચી  વાત પાક્કી કરી.  લગભગ  ત્રણ મહિના પછી ધામધૂમથી  બંનેના  લગ્ન  પણ  થઈ  ગયા . 


બંને  બહેનો  ઘર  સારી  રીતે  સાંભળી  લેતી  હતી . જ્યાં  અંશીકાની  બેદરકારી  કે  ભૂલ  થાઈ  તેને વંશિકા તરત  જ  પોતાના  ખભે   જવાદારીની જેમ   ઉઠાવી  લેતી  હતી  અને  તકેદારી  પૂર્વક  બીજી  વાર  નહિ   કરે  એ  રીતે  મીઠો  ઠપકો  આપતી .  તો  પણ   ઘણીવાર  નાની  બાબતોમાં   હજીયે  અંશીકા કાચું   કાપતી . હવે  નાના  કાકીને  સમજાયું  કે  તે  અત્યાર  સુધી  જે  વ્યકતિને   "દયા -દ્રષ્ટિ" ની  ભાવના   થી  જોતા  હતા  તેની  જ  વ્યહારુ  અને  કુશળ  દ્રષ્ટિ  ના  લીધે  ઘર  વ્યવસ્થિત   છે  . આ  એ  જ   છે  જેની સાથે પોતાના દીકરાના  લગ્ન  માટે  તેમનું  મન  કચવાતું  હતું . એમને સમજાયું કે દિલ  જેના  માટે  ના  પડતું  હતું  તે  જ  વ્યક્તિ  બધા  ના દિલ  માં  વસે  છે  . 



આતો  એક  નાનકડો  કિસ્સો  છે  વંશિકા  અને  અંશીકા  ના  જીવનનો !!  રોજ  બરોજની  જ    લાઈફ     માં  આપણે   જાણતે  અજાણ્યે આવું કેટલીય વાર કરીયે  છીએ   જેની  આપણને  પણ  જાણ  હોતી  નથી.   આપણે “મેરી બેટી, મેરા અભિમાન” “આઇ લવ માય ડોટર ”  આ બધી ફ્રેમ વાળા પ્રોફાઇલ પિક્ચર તો અપલોડ  કરીએ છીએ  પણ  શુ  આપણો  આવા  કિસ્સા  માં  જોવાનો  દ્રષ્ટિકોણ  બદલ્યો  છે ????????????
જો  નહિ  તોહ  હવે  બદલો . કારણ  કે  દરેક  ના  નસીબ  માં  વંશ  વધારવા  માટે  એક  વંશિકા  તો  જોઈશે  જ  જે  પ્રેમ  ની  ગાંઠ  થકી   પરિવાર  ને  પાંચ  અલગ  આંગળી  ઓ  ની  જેમ  એક  મુઠ્ઠી  માં  સાચવી  શકે . હવે, આ નવી વિચારધારા અપનાવી જોઈએ  "મેરી બહુ મેરી બેટી ,દોનો એક સમાન" 

જીનલ મરચન્ટ