Homeવાંચવા જેવુંભારતીય સેનાના આ નિવૃત અધિકારી પોતાના પેન્શન, ગ્રેચ્યુઇટી અને અન્ય બચતોની ભેગી થયેલી
રકમમાંથી રૂ. 15લાખ 51હજાર વડાપ્રધાનના રાહત ફંડમાં આપ્યા...
ભારતીય સેનાના આ નિવૃત અધિકારી પોતાના પેન્શન, ગ્રેચ્યુઇટી અને અન્ય બચતોની ભેગી થયેલી
રકમમાંથી રૂ. 15લાખ 51હજાર વડાપ્રધાનના રાહત ફંડમાં આપ્યા...
1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં પોતાની એક આંખ ગુમાવનાર ભારતીય સેનાના જુનિયર કમિશન ઓફિસર શ્રી મોહિન્દર સિંહ હાલ 85 વર્ષના છે અને એમના પત્ની સુમન ચૌધરી સાથે જીવન વ્યકિત કરે છે.
ભારત અત્યારે કોરોના સામેનું મહાયુદ્ધ લડી રહ્યું છે ત્યારે ભારતમાની રક્ષા કાજે જ જીવતો આ શૂરવીર યોદ્ધો શાંત કેવી રીતે બેસી શકે ? ભારતીય સેનાના આ નિવૃત અધિકારી પોતાના પેન્શન, ગ્રેચ્યુઇટી અને અન્ય બચતોની ભેગી થયેલી રકમમાંથી રૂ. 15લાખ 51હજારનો ચેક તૈયાર કરીને બેંકમાં પહોંચ્યા અને વડાપ્રધાનના રાહત ફંડમાં આ રકમ જમા કરાવી.
મોહિન્દર સિંહે કહ્યું કે ‘મને હવે 85 વર્ષ થયાં. આ રકમને મારે હવે શુ કરવી છે. હું જે રકમ વડાપ્રધાન રાહત ફંડમાં આપું છું એ રકમ મારી છે જ નહીં. દેશની છે ને દેશને પરત કરું છું. જ્યારે મારે જરૂર હતી ત્યારે દેશે મને આપ્યું હતું અત્યારે દેશને જરૂર છે એટલે હું દેશને પરત આપી રહ્યો છું.
Post a Comment