Latest Post

ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે. ગુજરાત માં ઠેર ઠેર પાણી ની સમસ્યા માથું ઊંચકી રહી છે, ત્યારે આ ભારે ગરમીમાં ઘણા એવા ગ્રામ્ય પંથકો છે કે જ્યાં પાણી પહોચતું નથી અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે વાંકાનેર તાલુકા ભોજપરા પાસે વાદી વસાહત આવેલું છે કે જ્યાં છેલ્લા બે વર્ષથી પીવાના પાણી માટે અહીંના લોકો વલખા મારે છે.
નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વાદી આગેવાનોની રજૂઆતના પગલે અહીં 2૦૦ જેટલા પાકા મકાનો અને આ વાદી પરિવારના બાળકો ભણી શકે તે માટે શાળા બનાવવાના આદેશ અપાયા છે. જે વર્ષ 2002માં નિર્માણ થયું હતું અને મોદીની આ મેહરબાનીથી આ પરિવારો માટે મોદી ભગવાન બની ગયા હતા.



ગામના  લોકો દ્વારા ગામમાં એક મંદિર પણ બનાવવામાં આવ્યું છે. જેમાં ભગવાન નહિં પણ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની તસ્વીર રાખવામાં આવી હતી અને દરરોજ પૂજા અર્ચના કરવામાં આવતી હતી. પરંતુ આજે આ વાદી પરિવારના સભ્યો સરકાર પાસે મદદની ભીખ માંગી રહ્યા છે.



ગામ માં પાણીની આ તકલીફના કારણે કેટલાક પરિવારો આ ગામ છોડીને પણ જતા રહ્યાં છે. વર્ષ 2002માં આ ગામની સ્થાપના થઇ હતી. ત્યારે રાજ્યના મંત્રી નરોતમ પટેલ દ્વારા આ ગામને પાણી મળે તે માટે વિશેષ સુવિધાઓ કરી દેવામાં આવી હતી કારણ કે… નરેન્દ્ર મોદી દ્વારા આ પરિવારોને આશરો આપી જગ્યા ફાળવી ૨૦૦ મકાનો બનાવી દેવામાં આવ્યા હતા.



ગામવાસીઓની વાત સાંભળીએ તો ગામમાં છેલ્લા બે વર્ષથી પાણી આવતું નથી. જેને કારણે અહીના પરિવારની મહિલાઓ તેમજ બાળકો માથે પાણીના ઘડા લઇને 5થી 10 કિલોમીટર સુધી દુર દુર પાણી ભરવા જાય છે. અહીંના લોકો પાસે પાકા મકાનો છે. સુંદર રેવાની વ્યવસ્થા પણ છે. પરંતુ પાણી વિના આ વાદી પરિવારો ભારે ચિંતામાં મુકાયા છે


વાંકાનેરના હસનપર ગામથી એક પાણીની પાઇપલાઇન આ ગામ સુધી પહોચાડવામાં આવી હતી. જે પાઈપલાઈન થકી પાણી આ ગામના પાણીના ટાકામાં આવતું અને એ ટાકા થકી અહીના 1200 પરિવારોને પાણી મળતું હતું. પરંતુ કોઈ કારણો શર પાણીનું એક ટીપું પણ આ ટાકામાં છેલ્લા બે વર્ષથી આવ્યું નથી. જેથી લોકોને ભારે મુશ્કેલી પડે છે.



જે ગામમાં લોકો પાકા મકાનો અને શાળા બનવવાને કારણે લોકો મોદીની પૂજા કરતા આજે એજ પરિવારના સભ્યો મોદી પાસે પાણીની ભીખ માંગી રહ્યા છે. તંત્રને પણ અવાર નવાર રજૂઆત કરવા છતાં આ પરિવારની તકલીફ કોઈએ સાંભળી નથી. ત્યારે આ પરિવાર ભગવાન પર આશ રાખીને બેઠો છે કે, સરકારના કોઈ એક અધિકારી કે નેતા તેમની વાત સાંભળે અને ફરી આ ગામમાં પાણી આવવા લાગે.

Image may contain: sky



અંશીકા  અને  વંશિકા એમ  તો  બન્ને  પિતરાઈ  બહેન  થાય  પણ  તેમના   વચ્ચે  લાગણી  સગ્ગી  બહેનો  કરતા  વધારે..!! નાનપણથી   જ  સાથે  ઉછરેલા; વંશિકા મામા -મામી  સાથે  જ  મોટી  પણ  થઈ  સાથે  જ  અભ્યાશ પૂર્ણ  કર્યો  અને  હવે  બન્ને  જોબ  કરે છે. વંશિકાના માતા-પિતા નું નાની ઉમરે અવસાન થયું હતું પણ  મામા -મામીએ  ક્યારેય એમની ખોટ લાગવા દીધી નહીં . અંશીકા કરતા વંશિકા  વધુ  હોશિયાર  અને કામગરી  પણ . વંશિકા એકદમ  ડાહી  અને  સમજુ  જયારે  અંશીકા  થોડી  નટખટ,    ઘરમાં  એ સૌથી નાની  એટ્લે  એની  બધી  ઝિદ  પણ  પુરી  કરાતી . હવે  આવ્યો  સમય  દીકરીને  પરણવાનો. ઈશ્વરની  કૃપાથી બંને  બહેનો  માટે સાથે  જ છોકરા જોવાનું  શરૂ  કર્યું  અને  જોગાનુજોગ  સાથે  જ  મેળ  પણ  પડી  ગયો.  એક  જ  ઘરમાં  કાકા –મોટાના દીકરાઓ  જોવા  આવવાના   હતા  અને  મિટિંગ  ફાઇનલ  થઈ.  છોકરાઓમાં એકનું  નામ  "વંશ" અને  બીજાનું  "અંશ "  બન્ને  સેટ  થયેલા  અને  સંસ્કારી. જયારે  લગ્નની  વાત  વાત  આવે  ત્યારે  વડીલોનો  જોવાનો  દ્રષ્ટિકોણ  થોડોક  બદલાય  જાય  છે. અંશની  મમ્મીને વંશિકા યોગ્ય  ન  લાગી . કારણ  કે  માં-બાપ  વગરની  દીકરી  ને !  મામા-મામી  સાથે  ઉછરેલી ..! કાકીની માન્યતા એવી કે દીકરીના  ઉછેરમાં  કઈ  કમી  રહી  ગઈ  હોઈ  !!  સમાજમાં  એક  એવું  માન્યતા  બેસી  ગઈ   છે  કે  માબાપ  વગરના  બાળક  એટલે  "બાપડા -બિચારામાં'  ગણાય . હવે  કરીએ  તો  કરીએ  શુ?? જયારે  આ  દરેક  વાતો  કાકીએ  કાકાને  કરી  ત્યારે  કાકાએ  વળતો  જવાબ  તો  ના  આપ્યો  પણ  તેમની  વાતો  સાથે  મંજુર  ના  થયા ..! હવે  કરે  તો  કરે  શુ? મને -કમને  સહકુટુંબ  છોકરી  જોવા  ગયા. ઘરના  દરેક  સદસ્યોને  વંશિકા પસઁદ  પડી;  વંશ  માટે  વંશિકા  અને  અંશ  માટે  અંશીકા . બધા  રાજી હતા પણ  નાના  કાકીનું  મન  થોડું  કચવાતું  હતું  કે  અંશ  માટે  અંશીકા  નહિ   ચાલે . છતાં  પણ  બધાની  હા  હોવાને  લીધે  ગોળ -ધાણા  વહેંચી  વાત પાક્કી કરી.  લગભગ  ત્રણ મહિના પછી ધામધૂમથી  બંનેના  લગ્ન  પણ  થઈ  ગયા . 


બંને  બહેનો  ઘર  સારી  રીતે  સાંભળી  લેતી  હતી . જ્યાં  અંશીકાની  બેદરકારી  કે  ભૂલ  થાઈ  તેને વંશિકા તરત  જ  પોતાના  ખભે   જવાદારીની જેમ   ઉઠાવી  લેતી  હતી  અને  તકેદારી  પૂર્વક  બીજી  વાર  નહિ   કરે  એ  રીતે  મીઠો  ઠપકો  આપતી .  તો  પણ   ઘણીવાર  નાની  બાબતોમાં   હજીયે  અંશીકા કાચું   કાપતી . હવે  નાના  કાકીને  સમજાયું  કે  તે  અત્યાર  સુધી  જે  વ્યકતિને   "દયા -દ્રષ્ટિ" ની  ભાવના   થી  જોતા  હતા  તેની  જ  વ્યહારુ  અને  કુશળ  દ્રષ્ટિ  ના  લીધે  ઘર  વ્યવસ્થિત   છે  . આ  એ  જ   છે  જેની સાથે પોતાના દીકરાના  લગ્ન  માટે  તેમનું  મન  કચવાતું  હતું . એમને સમજાયું કે દિલ  જેના  માટે  ના  પડતું  હતું  તે  જ  વ્યક્તિ  બધા  ના દિલ  માં  વસે  છે  . 



આતો  એક  નાનકડો  કિસ્સો  છે  વંશિકા  અને  અંશીકા  ના  જીવનનો !!  રોજ  બરોજની  જ    લાઈફ     માં  આપણે   જાણતે  અજાણ્યે આવું કેટલીય વાર કરીયે  છીએ   જેની  આપણને  પણ  જાણ  હોતી  નથી.   આપણે “મેરી બેટી, મેરા અભિમાન” “આઇ લવ માય ડોટર ”  આ બધી ફ્રેમ વાળા પ્રોફાઇલ પિક્ચર તો અપલોડ  કરીએ છીએ  પણ  શુ  આપણો  આવા  કિસ્સા  માં  જોવાનો  દ્રષ્ટિકોણ  બદલ્યો  છે ????????????
જો  નહિ  તોહ  હવે  બદલો . કારણ  કે  દરેક  ના  નસીબ  માં  વંશ  વધારવા  માટે  એક  વંશિકા  તો  જોઈશે  જ  જે  પ્રેમ  ની  ગાંઠ  થકી   પરિવાર  ને  પાંચ  અલગ  આંગળી  ઓ  ની  જેમ  એક  મુઠ્ઠી  માં  સાચવી  શકે . હવે, આ નવી વિચારધારા અપનાવી જોઈએ  "મેરી બહુ મેરી બેટી ,દોનો એક સમાન" 

જીનલ મરચન્ટ

માણિકચંદ (RMD) ગુટકાના માલિક-પ્રણેતા રસિકલાલ ધારીવાલ સાહેબનું કેન્સરને લીધે નિધન થયું છે.

શોકસમયે સદગત માટે ઘસાતું બોલવું એ વિવેક કે મોતનો મલાજો નથી. પણ સદગત વધુ જીવ્યા હોત ને એમનું દુર્જનો માટેનું "સર્જન" યાને એમની પ્રોડક્ટ ગુટકા નર્કસ્થ થઇ હોત, તો અંગત રીતે આનંદ થાત. તદ્દન ઝેરી અને પૃથ્વીનું સૌથી વિનાશકારી વ્યસન હોય તો એ ગુટકા છે. હું દ્રઢપણે માનું છું કે માવાફાકી ચોળવાનું ને ગંદા ગુટકા ભચડવાનું વ્યસન ભારતમાં સૌથી વધુ ગુજરાતમાં છે ! એનું એક પ્રમુખ કારણ ગુજરાતની દંભી દારૂબંધી પણ છે. સમગ્ર સમાજ આદર્શ મુજબ જીવી નથી શકતો ને ઇઝી ઈન્સ્ટન્ટ 'કિક' માટે અમુક બંધાણીઓ શરાબ ન મળતા ગુટકાપ્રેમી થતા ગયા ને પછી તો ખિસ્સામાં લઇ ફરવું ને મનફાવે ત્યાં ચાવવું થૂંકવું આસાન હોઈને ગુટકાનો વ્યાપ વધતો ગયો.


ધરતીના પટ પર સૌથી વધુ મોઢાના કેન્સર સૌરાષ્ટ્રમાં છે. ગંધાતા સડેલા દાંત તો રોજીંદા છે. દારૂબંધીની માફક જ ગુટકાબંધી નર્યું નાટક છે. દારૂબંધીએ જેમ ભ્રષ્ટાચાર પેદા કર્યો ( બાકી ગુજરાતમાં પેટ્રોલ પાણીના ભાવે વેંચાઈ શકે, પણ એ વિષયાંતર થશે) એમ કહેવાતી ગુટકાબંધીએ ઉલટો કંપનીનો નફો વધારી દીધો. તગડા ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક માટે ય માણિકચંદની નોન્ધ લેવી પડે. આપણી સેટિંગબાજ જુગાડુ પ્રજાએ રાબેતા મુજબ નુસખા શોધી લીધા ને કાશ્મીર કે સ્પેનના કેસર કરતા ય મોંઘા ગુટકા રોજ ચાવી જતા કહેવાતા ગરીબોને એની શરમ તો શું સાનભાન નથી. બાકી ગ્રામના હિસાબે ભાવ કિલોમાં ફેરવી જોજો.સરકાર ધારે તો ઉત્પાદન પર પ્રતિબંધ મૂકી શકે, પણ એવું કોઈ સરકાર ધારે નહિ. ટેક્સની આવક દુર્ગુણોમાંથી થાય. બધા ગાંધી થઇ જાય તો બજેટ સાવ ભાંગી પડે. ને પબ્લિક ડિમાન્ડ હોય એ પ્રોડક્ટ પર બેન શક્ય જ નથી. ઉલટું વધુ ક્રાઈમ થાય. આમ પણ, કોને શું ખાવું ને શું પીવું એ માટેના સરકારી નિયમો જ હાસ્યાસ્પદ છે. પણ શું સારું ને શું ખરાબ એની જાણકારી શેર કરી શકાય. કારણ કે કોઈ પણ વળગણ કોઈના કહેવાથી કદી છૂટે નહીં, અંદરથી ઉગે તો જ છૂટે. બાકી ધુમ્રપાનની જાહેરાતના સમયમાં થીએટર બહાર જઈ બે કશ લગાવી લેવાવાળા મળી આવે !

પણ ગુટકા - માવાનો સીધો સંબંધ અ-સ્વચ્છ ભારત સાથે ય છે. સાદા પાનનો રસ ઘૂંટડે ને ઘૂંટડે ગળે ઉતારવાનો હોય. પણ તમાકુવાળા પાન-ફાકી કે ગુટકાનો રસ સતત થૂંકવો પડે. માટે ગંદકી વધતી જાય. માતા પર ન થૂંકો પણ માતૃભૂમિ પર રોજ થૂંકવાનું ! એટલે ગુટકામુક્ત દેશો ખાસ્સા સ્વચ્છ જોવા મળે ! એ દેશોના પબ્લિક ટોયલેટના બેઝિન પણ ! આપણે ત્યાં તો સ્કૂલ-કોલેજના સ્ટાફ રૂમની મુતરડી ચેક કરો તો ઘણા ગુરુવર્યોનું 'કેરેક્ટર સર્ટીફિકેટ' મળી આવશે ! આમ પણ ભારતીયો જગતભરમાં તમાકુ માટે કુખ્યાત છે. જ્યાં જયાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુટકા ! આમ પણ, બીજા વ્યસનો તો યુગો જુના કે પ્રાકૃતિક ગણો, તો આ ગુટકા ભસ્માસુર તો સાવ તાજો છે.
અગાઉ પણ સ્વાનુભવે લખી ચુક્યો છું એમ જાગવા માટે કે કામ કરવા માટે ગુટકા ચાવવા પડે એ તો માત્ર મનોબળનો અભાવ છે. જરૂરીયાત હરગીઝ નહીં. સંપૂર્ણ નિર્વ્યસની તરીકે આ હું છાતી ઠોકીને કહી શકું. પણ બીજી વાત એ ય છે કે ઘડી ઘડી અશ્લીલતાના નામે કે ચાઈનીઝ પ્રોડક્ટના નામે ઈન્ટરનેટ પર વાંઝિયા બહિષ્કાર પર ઉતરી જનારા કે સૈનિકોના નામે દેશભક્તિ પર ઓવારી જનારા લોકો જો ધ્યાનથી સમાચાર વાંચે તો ખબર પડે કે ગુટકા નેટવર્કનું ડાયરેક્ટ કનેક્શન અન્ડરવર્લ્ડ ને પાકિસ્તાનપ્રેરિત ત્રાસવાદ સાથે છે. થોડા સમય પહેલા જામનગરમાં એક હત્યાની અપાયેલી સુપારી વખતના ગાજેલા ને પછી તરત જ હેડલાઈનમાંથી ગાયબ થયેલા સમાચારો યાદ હોય તો એ દેખીતો પુરાવો છે.
એની વે, પણ ધર્મસ્થળ પાલિતાણામાં સંસ્કૃતિના નામે જીન્સ પહેરતી છોકરીઓ પર અમુક જગ્યાએ સુચના સાથે રોક હોય પણ શેઠશ્રી ધારીવાલના માણિકચંદ નામ સાથેના ગુટકાની કાળી કમાણીના દાનવાળા ભવ્ય દરવાજા શોભતા હોય - એ ત્યાગની વાતો કરતા આપણા રાષ્ટ્રમાં પૈસો કેવો પરમેશ્વર છે એ બાબતે વધુ કશું કહેવાની જરૂર નથી. માટે શેઠશ્રી ધારીવાલસાહેબના આત્માને શાંતિ , સદ્ગતિ માટે પ્રાર્થના.

હવે લુચ્ચે લોગ, નીચી પસંદ વાળા ગુટકાના પણ આનંદમય જીવનમાંથી અંતિમસંસ્કાર થાય એ અભ્યર્થના.

#JV #દંભીસ્તાન
By Jay Vasavada



રેન્સમવેરના અટેક પહેલા અને પછી શું કરશો
– સૌથી પહેલા માય કોમ્પ્યુટર પર રાઈટ ક્લિક કરીને સિસ્ટમ પ્રોટેક્શન સિલેક્ટ કરો
– સિસ્ટમ પ્રોટેકશનમાં હાર્ડ ડ્રાઈવ બતાવશે તે સિલેક્ટ કરી કન્ફિગર પર ક્લિક કરો
– ડ્રાઈવ કન્ફિગરેશનમાં રેસ્ટોર વર્ઝન ઓપ્શન સિલેક્ટ કરો.
– આ ઓપ્શન સિલેક્ટ કરતા તમે ફોલ્ડરમાં કરેલા તમામ સેટિંગ્સ સેવ થશે
– ફાઈલનું જુનુ વર્ઝન જોવું હોય તો ફોલ્ડર પર રાઈટ ક્લિક કરી જોઈ શકશો
– કોમ્પ્યુટરમાં રેન્સમવેર આવે તો ઘોસ્ટ એક્સપ્લોરર નામનો સોફ્ટવેર નાખવો
– આ સોફ્ટવેર તમામ ફાઈલ સ્કેન થશે અને તેનું જૂનુ વર્ઝન એટલે કે ઈન્ક્રિપ્ટ થયા પહેલાનું બતાવશે
– આ ફાઈલ પોર્ટેબલ ડિવાઈઝમાં સેવ કરો અને પછી કોમ્પ્યુરની આખી હાર્ડ ડિસ્ક ફોર્મેટ કરો
– તમામ કોમ્પ્યુટરમાં સિસ્ટમ પ્રોટેકશન ઓન કરવું હિતાવહ છે. કોઈપણ વાયરસની અસર દૂર કરવા માટે


અચાનક રેન્સમવેર આવે તો શુ કરશો
– સિસ્ટમ પ્રોટેકશન ઓન ન કર્યું હોય તો ઘણા લોકો રીકવરીને અસંભવ માને છે
– પ્રોટેકશન ઓફ હોય તો પણ તમે ફાઈલ રીસ્ટોર કરી શકો છો
– સૌથી પહેલા રેકુવા નામનો એક સોફ્ટવેર ઈન્સ્ટોલ કરો
– સોફ્ટવેરમાં જે તે ડ્રાઈવ ક્લિક કરી ડીપ સ્કેન સિલેક્ટ કરો
– ડિપ સ્કેનમાં ઓપ્શન આવે છે જેમાં સો ફાઈલ બિફોર ઈન્ક્રિપ્શન સિલેક્ટ કરો
– જે જે ફાઈલ ઈન્ક્રિપ્ટ થઈ હશે તેના જૂના વર્ઝન સોફ્ટવેર રીકવર કરી આપશે
– રેકુવા એકમાત્ર સોફ્ટવેર ઈન્ક્રિપ્ટેડ ફાઈલ રીકવર કરે છે
– અમુક ફાઈલ્સ રેકુવાથી પણ રીકવર કરવી મૂશ્કેલી હોઈ શકે છે જે જતી કરવી પડશે.

Tags:ransomware antivirus,ransomware attack today,ransomware attacks,ransomware attacks 2017,ransomware attacks in india,ransomware attacks news,ransomware decrypt,
ransomware india,ransomware meaning,ransomware newsransomware patch,ransomware prevention,ransomware virus,ransomware virus removal tool,ransomware wanna cry


Richa chandrawanshi vivek tiwari facebook sleaze

Richa chandrawanshi vivek tiwari facebook sleaze
Richa chandrawanshi vivek tiwari facebook sleaze


Well, yes i could have blocked him n ignored this too. But, what next? He would go beyond, make another fake id n post few other girls the same dirty stuff!

Least, he got scared n deactivated his account after my text.
All the girls out there know it's suchha common thing to get the texts like this. Our "other messages" folder is filled with more stupid texts like this. But we ignore n that's what make them think it's okay to post such things!

Parameters for urban upgradation : From the viewpoint of Investors
Parameters for urban upgradation : From the viewpoint of Investors
Suggested parameters for monitoring and urban upgradation are:
Quality of education facilities in all major cities
Daily commute experience within the city and the adjoining areas
Green ambience and pollution free environment
Entertainment, amusement, golf course, local tourist spots and picnic facilities
Quality healthcare facilities, health clubs, resorts & joggers’ parks
Cosmopolitan and liberal atmosphere
Overall competitive cost of living index
Intellectual stimulus for professionals
Facilities for short term advanced courses in specialized areas available in cities for professionals
Broadband connectivity in line with global standards
Modern airports and railway stations 

ISSUES PERTAINING TO ALLOTMENT OF LAND
ISSUES PERTAINING TO ALLOTMENT OF LAND


Making the land available in time for industrial use at a reasonable and competitive price without any hassle is the main concern of every investor to ensure that the project goes on stream without undue delay and the policy therefore has rightly given due weightage to this issue. The important issues involved are: easy availability of private land/Government land, clearing of NA permission, land acquisition and evaluation of land. Keeping in view the objective to promote industrialization in Gujarat, the Revenue Dept has so far taken following steps vide different GRs to facilitate allocation of land to industries.


(a) A provision of Deemed NA has been made which allows a bonafide industrialist to acquire agricultural land and commence activity without prior NA permission, as per the provisions under Sections 63 & 65 (as amended) of Land Acquisition Act. At the executive level of local administration as well as for the knowledge of industries, this provision will be reiterated.
(b) Land under restricted tenure is now easily convertible to old tenure for industrial purposes.
(c) Section 63AA of Gujarat Tenency Act which came into effect from 6th March 77 enables a bonafide industrialist to possess agricultural land for setting up industrial undertaking without prior approval of the District Collector.
(d) For valuation of Government land, the value upto Rs.50 lakhs is decided by the District Level Pricing Committee. In case of value exceeding Rs.50 lakhs is decided by the State Level Pricing Committee. This mechanism facilitates appropriate and quick evaluation of land.
(e) As regards land acquisition, urgency clause is also invoked in deserving cases of public or private limited companies to facilitate quicker possession of land for industrial purposes.


The Government however, proposes further simplification in these matters.



Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.